મોરબીના નીચી માંડલ ગામે નવોઢાનો ગળાફાંસો ખાઈ આપઘાત

- text


બેથી ત્રણ મહિના પહેલા જ લગ્ન કરનાર પરપ્રાંતીય પરિણીતાએ જિંદગી ટૂંકાવી લેતા તપાસ

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની નવોઢાએ કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના લબર કવાટર્સમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વેટિકન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા બસંતીબેન મુનસીભાઈ ગુંદીયા ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બસંતીબેનના બેથી ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયાનું ખુલ્યું છે.

- text

- text