ટંકારાના ઓટાળા ગામે થયેલ એટ્રોસિટી કેસમાં તટસ્થ તપાસની માગણી કરતા ગ્રામજનો 

- text


મોટી સંખ્યામાં ગ્રમજનાઓ દ્વારા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ટંકારા : ટંકારાના ઓટાળા ગામે થયેલા એટ્રોસિટી કેસમાં તટસ્થ તપાસની માંગણી સાથે આજે ગ્રામજનોએ મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી તટસ્થ તપાસ કરી બી સમરી ભરવા માંગણી કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, ઓટાળા ગામના રહીશ અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે કેટલા એટ્રોસિટીના કેસ અંગે આજે ગ્રામજનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલો એટ્રોસિટીનો કેસ ખોટો હોય તે અંગે તટસ્થ તપાસ કરી બી સમરી ભરવા તથા અરજી રદ કરી ન્યાય અપાવવા રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો આ બાબતે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

- text

- text