- text
મોરબી : મોરબીના જામદુધઈ ગામે ક્રાંતિકારી સેના દ્વારા બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા ચિત્રો દોરવામાં આવ્યા છે. ક્રાંતિકારી સેના દ્વારા જામદુધઈ ગામે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ભારતીય આર્મી, નેવી અને એરફોર્સના વિશાળ ચિત્રો દિવાલ પર બનાવવામાં આવ્યા છે. આ ચિત્રો બનાવવા પાછળનો હેતુ યુવાનો અને બાળકોને પ્રેરણા મળી રહે તે માટેનો છે.
- text
- text