ટંકારા પંથકમાં પાણીના બોર પણ ઓવરફલો થવા લાગ્યા!

- text


ભૂગર્ભ જળમાં ધરખમ વધારો થતાં બોરમાંથી રીતસર પાણીના ફુવારા 

ટંકારા : મોરબી જિલ્લામાં મેઘરાજાએ ખમૈયા કર્યા છે. હવે ભૂગર્ભ જળ પણ જાણે બહાર નીકળી રહ્યું હોય તેવી ટંકારા પંથકમાં સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે.

ટંકારા પંથકમાં અવિરત મેધમહેરને પગલે પેટાળમાંથી પાણી છુટી સપાટી ઉપર આવી ગયા છે. કુવા બોર ઓવરફલો થઇ ગયા છે. ટંકારા તાલુકાના સરાયા ગામે જસમતભાઈના ખેતરે બોરમાં પાણીના ફુવારા છુટી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને લોકો કહી રહ્યા છે કે સારું થયું મેઘરાજાએ ખમૈયા કર્યા. નહિતર શુ સ્થિતિ સર્જત તેની કલ્પના પણ મુશ્કેલ છે.

- text

- text