મોરબીના વાવડી રોડ પરની કપોરી વાડીમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાયો 

- text


મોરબી : મોરબી જિલ્લામાં અતિભારે વરસાદના પગલે વાવડી રોડ ઉપર આવેલી કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમાણા પાણી ભરાયા હતા. જેથી આ વિસ્તારના નાગરિકો દ્વારા દેવાભાઈ અવાડિયાને ફોન મારફત પાણી નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી દેવાભાઈ અને અમિતભાઈ ગામી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી જરૂરી સાધનો જેસીબી સાથે કર્મચારીઓ અને વહીવટી તંત્રને સૂચનો આપી આ સમસ્યામાંથી માત્ર 30 મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરાવ્યો હતો. પાણીનો નિકાલ થઈ જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને તાત્કાલિક મદદ બદલ દેવાભાઈ અવાડિયા અને અમિતભાઈ ગામીનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text