ટંકારામા શેરીમાંથી નીકળવાની ના પાડી ધારીયું ઝીકાયું

- text


તિલકનગરમાં થયેલ ઝઘડા અંગે વળતી ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારા મામલતદાર કચેરી પાસે આવેલ તિલકનગરમાં ગઈકાલે જુના ઝઘડામાં ફરી ઝઘડો થવા મામલે વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં ભત્રીજાને શેરીમાંથી પસાર થવાની ના પાડતા સમજાવવા ગયેલા ફરિયાદીને ધારીયાનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.

ટંકારાના તિલકનગરમાં રહેતા ફરિયાદી નવઘણભાઈ નવીનભાઇ ગોહિલે નોંધાવેલ પોલીસ ફરિયાદમાં આરોપી જડીબેન, કાંતિભાઈ ગોવિંદભાઇ ગોહિલ, નરેશ ગોવિંદભાઇ ગોહિલ અને માનુબેન ગોવિંદભાઇ ગોહિલે ફરિયાદીનો ભત્રીજો શેરીમાંથી નીકળતા આરોપીઓએ અહીંથી નીકળવું નહિ તેમ કહી ગાળો આપતા ફરિયાદી નવઘણ સમજાવવા જતા આરોપીઓએ લાકડી તેમજ ધારીયાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text