ભારે વરસાદને કારણે મોરબીના રફાળેશ્વરનો મેળો નહિ યોજાય

- text


અમાસનો મેળો બંધ રાખવાની જાબુંડિયા ગ્રામપંચાયતની સતાવાર જાહેરાત

મોરબી : ભારે વરસાદને કારણે સાતમ – આઠમના મેળા રદ થયા બાદ મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજાતો લોકમેળો પણ બંધ રાખવામાં આવશે તેવી સતાવાર જાહેરાત અયોજક જાંબુડિયા ગ્રામ દ્વારા કરવામાં આવી છે.

- text

મોરબી તાલુકાની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા સતાવાર જાહેરાત કરી ભારે વરસાદ તથા હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેતા જાહેરહિતમાં આગામી તારીખ 1 સપ્ટેમ્બર તથા 2 સપ્ટેમ્બરના રોજ રફાળેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં યોજાતો અમાસના મેળાનું આયોજન બંધ રાખવામાં આવેલ હોવાનું જેની તમામ ભક્તજનોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

- text