મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડની રજા લંબાવાઈ, સોમવારથી કામકાજ શરૂ

- text


મોરબી : જન્માષ્ટમીના પર્વ નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં અગાઉ રજા જાહેર થઈ હતી તે મુજબ તારીખ 30 ઓગસ્ટથી માર્કેટિંગ યાર્ડનું કાર્ય શરૂ થવાનું હતું. પરંતુ ભારે વરસાદના પગલે હાલ માર્કેટિંગ યાર્ડ રજા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ દરમ્યાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં વધુ વરસાદને ધ્યાનમાં રાખી મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તારીખ 1-9-2024 સુધી અનાજ વિભાગમાં રજા રાખવામાં આવી છે. તેમજ તારીખ 2-9-2024ને સોમવારથી રાબેતા મુજબ હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે.

- text

- text