માળીયા (મિ.)ના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા કલેકટર 

- text


કલેક્ટરે વરસાદ બાદ હવે આયોજનબદ્ધ કામગીરી કરવા સ્થળ પર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ હાલ ધીરે ધીરે સ્થિતિ પૂર્વવત થઈ રહી છે. મચ્છુ નદીમાં આવેલા પૂરને પગલે સૌથી વધુ અસર માળીયા પંથકમાં થઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ માળીયા શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સમીક્ષા કરી હતી.

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. જેથી જિલ્લા વાસીઓની સાથે વહીવટી તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે. હવે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બની રહે તે માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ કલેક્ટરે મોરબી જિલ્લામાં માળીયા પંથકના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે સ્થળ પર જઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું ઉપરાંત ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કલેક્ટરે લોકોને વહીવટી તંત્ર દ્વારા જોઈતી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેવી સાંત્વના પણ આપી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, મોરબી આસિસ્ટન્ટ લેબર કમિશનર જયદીપસિંહ જાડેજા, માળીયા મામલતદાર કે.વી. સાનિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text