સંકટ સમયે ફસાયેલ લોકોની વહારે આવ્યું બગથળા નકલંક મંદિર, 1500 ફૂડ પેકેટનું કર્યું વિતરણ

- text


મોરબી : સમગ્ર ગુજરાત સહિત મોરબીમાં ભારે વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે મોરબી અને માળિયામાં ઘણા લોકો ફસાયેલ છે. ત્યારે આ દરમ્યાન બગથળા નકલંક મંદિરના મહંત શ્રી પૂજ્ય દામજી ભગત અને મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ સંકટમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા છે.

જેમાં કપરા સમયે સૌની સહાય કરવી એ આપણી ફરજ છે તેથી આપણે પણ કૈક કરવું જોઈએ. આ વાતથી સૌ સહમત થયા અને આજે ફૂડ પેકેટ બનાવવાનું ચાલુ છે. અને બપોર પછી અસરગ્રસ્તને આપવા જવાના છે. ત્યારે અત્યાર સુધીમાં 1500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ખરેખર નકલંક મંદિરના આ ઉમદા સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text

- text