ટંકારાના સેવાભાવી બીપીનભાઈ પ્રજાપતિ દ્વારા 2000 ફૂડ પેકેટ તૈયાર કરાયા

- text


મોરબી : જિલ્લાભરમાં ભારે વરસાદી આફત હોય ત્યારે સદા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બીપીનભાઈ પ્રજાપતિ તેમજ ધર્મેન્દ્રભાઈ બારેજીયાએ ફક્ત ચાર કલાકમાં પૂર અસરગ્રસ્તો માટે 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કર્યા છે.

ટંકારા આરએસએસ ગ્રુપ દ્વારા 500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવાયા હતા. હર હંમેશ કુદરતી આફત કે અકસ્માતના સમયે બીપીનભાઈ પ્રજાપતિ તેમજ મોરબી વરિયા પ્રજાપતિ સમાજ હર હંમેશ રાષ્ટ્રની સેવામાં સવિશેષ સેવા પ્રદાન કરે છે. ત્યારે આજે આફતના સમયે ફક્ત ચાર જ કલાકમાં 2000 ફૂડ પેકેટ તૈયાર કરી સેવા પ્રદાન કરી હતી.

- text

- text