વાંકાનેરના રાજાવડલા ગામે જુના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે મારામારી

- text


બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જુના ઝઘડાના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે સાતમ આઠમના તહેવાર સમયે જ મારામારી થતા બન્ને પક્ષે ઇજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા જયેશભાઇ ચતુરભાઈ આંતરેસાએ આરોપી છનાભાઈ લાલજીભાઈ સોલંકી, નકુલભાઈ અશોકભાઈ સોલંકી અને મિલનભાઈ વિક્રમભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી જયેશભાઈના હોઠ ઉપર લાકડી ફટકારી દઈ ઢીકા પાટુનો માર મારતા ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સામાપક્ષે છનાભાઈ લાલજીભાઈ સોલંકીએ આરોપી જયેશભાઇ ચતુરભાઈ આંતરેસા, ચતુરભાઈ આંતરેસા અને મંજુબેન ચતુરભાઈ આંતરેસા વિરુદ્ધ જુના ઝઘડાનો ખાર રાખી લાફા મારી લાકડી લઈ મારવા આવ્યા હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text