વાંકાનેરના યુવાને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે ઇન્સ્ટાગ્રામમા અભદ્ર પોસ્ટ કરતા ફરિયાદ

- text


રાજકોટના યુવાનની ફરિયાદને આધારે આઇટી એકટ મુજબ ગુન્હો દાખલ

રાજકોટ : વાંકાનેરના ગુલશનપાર્કમા રહેતા યુવાને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી વિશે અભદ્ર ટિપ્પણી કરી ગાળો લખેલી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોસ્ટ કરતા આ ગંભીર મામલે રાજકોટના યુવાનની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે તાત્કાલિક ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેલનગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમા રહેતા યશભાઈ જયેશભાઇ ભીમાણીએ વાંકાનેર ગુલશનપાર્કમાં રહેતા આરોપી અનવરહુસેન જાહિદભાઈ ગાલિબ નામના શખ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી વિશે ગાળો લખેલી પોસ્ટ મુકવાની સાથે અભદ્ર ટિપ્પણી કરતા યશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આઇટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text