મોરબીમા મહારાણીશ્રી વિજયકુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવનનું ગુરુવારે ભૂમિપુજન 

- text


યુનિટ નં-1ના દાતા તરીકે સ્વ. ઉદયસિંજી મનુભાબાપુ જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) દ્વારા બે કરોડ અગિયાર લાખ)નુ અનુદાન જાહેર કરાયું

- text

મોરબી : મહારાણી શ્રી વિજયકુવરબા સાહેબ રાજપૂત સમાજ ભવન મોરબીનુ આગામી તા.29/8/2024 ગુરુવારના રોજ 11:00 કલાકે ભૂમિપુજન મહારાજ કુમારી શ્રી રૂક્ષ્મણીદેવી સાહેબ (નામદાર મીરાબાપા સાહેબ)ના હસ્તે રાખવામાં આવ્યું છે. જેમાં યુનિટ નં-1ના દાતા સ્વ. ઉદયસિંજી મનુભાબાપુ જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની)ના જયુભાભાઈ જાડેજા, દિલુભાભાઈ જાડેજા, અનીરુધસિંહજી જાડેજા તેમજ અશ્વિનસિંહજી જાડેજા તરફથી રૂ.2,11,00,000 (બે કરોડ અગિયાર લાખ)નુ અનુદાન આપવાનું જાહેર કરેલ છે. આ સર્વે દાતાઓનો મોરબી જિલ્લા રાજપૂત સમાજ સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.

- text