મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા રાહત રસોડું ધમધમ્યું

- text


મોરબી : આજે મોરબીમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, ત્યારે અસરગ્રસ્તોની જઠરાગ્ની ઠારવા ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા પણ રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું છે.

વધુ વરસાદના કારણે મચ્છુ ડેમના 30 જેટલા પાટીયા ખોલવામા આવતા નીચાણવાળા વિસ્તારના લોકો ને સરકાર દ્રારા સ્થળાંતર કરવામાં આવેલ છે. ત્યારે સ્થળાંતર કરેલા લોકોને જમવાનું અને સવારે નાસ્તા માટેનાં ફુડપેકેટ આપવા માટે રાહતનું રસોડું ચાલું કરી દેવામાં આવ્યું છે.

ઈન્ડીયન લાયન્સ ક્લબનાં પ્રમુખ રુચિરભાઈ કારીયા એ માહીતી આપતાં જણાવ્યું છે કે આ રસોડું અમે અમારા ધરે જ ચાલુ કરેલ છે અને તંત્રની સુચના મુજબ જ અથવા તંત્ર ને જ રાહત માટેના ફુડ પેકેટ આપશે. જેથી કરી યોગ્ય જરુરીયાત વાળા લોકોને સીધા જ આ ફુડ પેકેટ મળી રહે અને ક્યા વિસ્તાર મા જમાડવાં તે પણ તંત્રની સુચના મુજબ જ જમાડાશે. વધુ આગામી દીવસોમા જ્યાં જ્યાં જરુર જણાય ત્યાં ફુડ પેકેટ અને જમવાનું પહોંચાડવા મોરબી ઈન્યન લાયન્સ ક્લબ હર હમેશાં તૈયાર છે.

- text

- text