મોરબીના મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોકમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે મોરબીના લખધીરવાસ ચોક ખાતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે એટલે કે 26 ઓગસ્ટે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી યોજાશે. તેમજ મટકી ફોડનો કાર્યક્રમ રાત્રે 12 વાગ્યે યોજાશે. આ ઉજવણીમાં સામેલ થવા સૌને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text