રાવળદેવ સમાજના સંત રતનદાસ બાપુની પુણ્યતિથિએ મોરબીમાં 29 ઓગસ્ટે વિવિધ કાર્યક્રમો યોજાશે

- text


શોભાયાત્રા, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબી રાવળદેવ સમાજ દ્વારા રાવળદેવ સમાજના સંત રતનદાસ બાપુની પૂણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 29 ઓગસ્ટ ને ગુરુવારના રોજ શોભાયાત્રા, રાવળદેવ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

રાવળ દેવ યુવા સંગઠન- મોરબી આયોજિત આ કાર્યક્રમમાં 29 ઓગસ્ટે બપોરે 2 કલાકે મોરબીના રાવળ શેરીના નાકેથી સામાકાંઠે પંચમુખી હનુમાન મંદિર સુધીની શોભાયાત્રા યોજાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે પંચમુખી હનુમાનજી મંદિરે રાવળદેવ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે અને સાંજે 7-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં રાવળદેવ સમાજના લોકોને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text