“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત મોરબી પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : હાલના સમયમાં ગ્લોબલ વોર્મીગ થતું અટકાવવા માટે વૃક્ષારોપણના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા “એક પેડ મા કે નામ” અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા.23-8-2024ના રોજ પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખને સાથે રાખી પેટ્રોલપંપ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તુલસી પેટ્રોલિયમ મકનસર તથા તીરૂપતી પેટ્રોલિયમ જાંબુડીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઇ ડાભી તથા પેટ્રોલપંપ એસોસિએશનના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દરેક પેટ્રોલપંપની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીશું અને વૃક્ષ વાવો મહા અભિયાનને આગળ વધારીશું.

- text

- text