અમરનગર પાસે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત 300 વૃક્ષોનું વાવેતર 

- text


મોરબી : રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-27 પર અમરનગર ગામે હાઇવે ચેનેજ નંબર 250 + 700 પર બામણબોર-ગારામોર પ્રોજેક્ટ પર એક પેડ માં કે નામ હેઠળ મિયાવાકી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ‌ દરમિયાન 300 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે માટે માતાના નામે એક વૃક્ષ વાવીને તેને બચાવવાનો સંકલ્પ કર્યો હતો. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમ દરમિયાન અમરનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને મોરબી તાલુકા પોલીસ ટીમના સંકલન સાથે નેશનલ હાઇવે પર કાર્યરત બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ હેડ – પિયુષ રાવલ, સેફ્ટી મેનેજર – શ્રીરામ, મેઈન્ટેનન્સ મેનેજર – શૈલેષ ત્રિપાઠી, ટોલ મેનેજર – હવાસિંહ, રવિન્દ્રભાઈ, સંતલાલ, ઉદયભાઈ, ત્રિનાદભાઈ, પ્રોજેક્ટ મેનેજર વરુણ શર્મા , ઈન્સીડેન્ટ મેનેજર રેનીશભાઇ જાફરાણી, રાષ્ટ્રીય રાજમાર્ગ પરના ઈન્ડિપેન્ડન્ટ એન્જીનીયરીંગના અનિલભાઈ, અનુજભાઈ તેમજ સમગ્ર ટીમ હાજર હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text