શ્યામ મિત્ર મંડળ દ્વારા નહેરુગેટ ચોકમાં રાત્રે પણ ધામધૂમથી મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીના નહેરૂ ગેટ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્યામ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ સવારે 9થી 12 વાગ્યે તેમજ સાંજે 8થી 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ મટકી ફોડનો કાર્યક્રમ બપોરે 12 વાગ્યે અને રાત્રે 12 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ ઉજવણીમાં સામેલ થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે..

- text

- text