મોરબીના અમરેલી ગામે 26 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીના અમરેલી ગામે 26 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેગી ગામના યુવાનો દ્વારા સવારે 8-30 કલાકે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે અને આ શોભાયાત્રા આખા ગામમાં ફરશે. તેમજ 10-30 કલાકે રામજી મંદિરની જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text