સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી મોરબીની વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચનાથી મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં સદભાવના વૃદ્ધાશ્રમ- રાજકોટના સહયોગથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

હાલ દિન પ્રતિદિન ગરમીનો પારો ખૂબજ વધતો જાય છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. ત્યારે ગ્લોબલ વોર્મિગની અસર ઘટાડવા વધુ ને વધુ વૃક્ષોનું જતન થાય એ ખૂબ જરૂરી છે ત્યારે મોરબી જિલ્લો હરીયાળો જિલ્લો બને એ માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાની સૂચના અન્વયે મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અને શાળાની આજુબાજુમાં વધુને વધુ વૃક્ષો વવાય રહ્યા છે. આ વૃક્ષોના ઉછેર અને જતન થાય એ માટે રાજકોટના સદભાવન વૃદ્ધાશ્રમ દ્વારા રોપા અને પિંજરા મોરબી જિલ્લાની શાળાઓ સુધી વાહન મારફત ફાળવવામાં આવ્યા છે. જો શાળામાં જગ્યા ન હોય તો શાળાની આજુબાજુમાં શાળા દ્વારા વૃક્ષની દેખરેખ રાખી શકીએ તેમ હોય એવી જગ્યાએ વધુને વધુ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. વૃદ્ધાશ્રમની આ સેવાકીય પ્રવૃત્તિને બાળકો, શિક્ષકો, આચાર્ય ગ્રામજનો સાથ સહકાર આપી જિલ્લાના વહીવટી વડાઓની સુચનાઓનું યોગ્ય પાલન કરી મોરબી જિલ્લો હરિયાળો બને એ માટે મોરબી જિલ્લાઓની શાળાઓમાં વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણીના આ મહાયજ્ઞમાં સૌ આહુતિ આપી રહ્યા છે.

- text