વતનમાં જવા બાબતે પત્ની સાથે મનદુઃખ થતા યુવાનનો આપઘાત

- text


વાંકાનેરના માટેલ ગામની સીમમાં સનસાઈન સિરામિકમાં બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26નામના યુવાનને તેની પત્ની સાથે વતનમાં જવા મામલે મનદુઃખ થતા લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text