- text
મોરબી : મોરબીની માધાપરવાડી શાળામાં ધોરણ. 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના જન્મદિવસે શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા અર્પણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
માધાપરવાડી કન્યા શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી આયુષી અશ્વિનભાઈ હડિયલે જન્મદિવસ નિમિત્તે માધાપરવાડી કન્યા શાળા અને કુમાર શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા અર્પણ કર્યા હતા. આ સરાહનીય કાર્ય બદલ હડિયલ પરિવારની દીકરી આયુષીનો સમગ્ર શાળા પરિવારે આભાર વ્યક્ત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
- text
- text