મોરબીની રસિકલાલ શેઠ બોઈઝ હાઈસ્કૂલ ખાતે તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની રસિકલાલ શેઠ બોઈઝ હાઈસ્કૂલ ખાતે લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર તથા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 127 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી આપવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફિસર ડો. હિરેન વાસદડિયા, એમ.પી.એચ.એસ. સવસેટા કાનજી, એમ.પી.એચ.ડબલ્યુ. નરેશ ભડાણિયા તથા મહેશ સોલંકી અને એફએચડબલ્યુ સબીસતા માથકિયા સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસિકલાલ શેઠ બોઈઝ હાઇસ્કૂલ ખાતે સેમિનાર યોજવા બદલ પ્રિન્સિપાલ ચનિયારા હરજીવન સાહેબ સહીતના સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text