મોરબીમાં પતિ, સાસુ-સસરાના ત્રાસથી ભાગી ગયેલી પરિણીતાનું પિયર સાથે મિલન કરાવતું અભયમ 

- text


મોરબી : મોરબીમાં પતિ, સાસુ અને સસરાના ત્રાસથી છેલ્લા નવ કલાકથી ઘરેથી નીકળી ગયેલ અને આપઘાતના વિચારો કરતી પીડીતાનુ તેમના પિયરના પરિવાર સાથે અભયમ ટીમે મિલન કરાવી તેને કાયદાકીય સમજ આપી હતી.

તા.૨૬ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા લખધીરપર ગામ પાસે એક કંપની બહાર છેલ્લા નવ કલાકથી એક જગ્યાએ બેઠા છે તેઓ ખૂબ જ રડે છે અને ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે તેમજ મહિલા કાંઈ બોલતા નથી.

જેના પગલે ૧૮૧ના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. મહિલાને ત્યાંના લોકોએ જમાડ્યા હતા અને સુરક્ષિત રીતે બેસાડેલા હતા.સૌપ્રથમ મહિલાને સાંત્વના આપવામા આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે મહિલા તેના પતિ, સાસુ અને સસરા સહિતના પરિવાર સાથે રહે છે મહિલાના લવ મેરેજ થયેલા હોવાથી તેમના માતા પિતા સાથે સંબંધ ન હોય મહિલાએ તેમના પતિ પાસે મહિલાના માતા પિતા સાથે ફોનમાં વાત કરવા માટે ફોન માંગેલ તો પતિ એ ફોન આપવાની ના પાડી અને મહિલા સાથે મારઝૂડ કરતાં હોય અને બેન સાથે દારૂ પીને અયોગ્ય વર્તન કરતાં હોય તેમજ ઘરમાં બધા જ સભ્યો નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હોય, લવ મેરેજ બાબતે સાસુ સસરા મહિલાને વારંવાર મેણા-ટોણા મારતાં હોય માટે મહિલા આવા અનેક પ્રશ્નો થી કંટાળીને કોઈને પણ જાણ કર્યા વિના ચાલતાં ચાલતાં એક કંપની પાસે પહોંચ્યા હતા અને આપઘાતના વિચારો કરતાં હતાં મહિલા આવા અનેક પ્રશ્નોથી મુંઝાયેલા હતા. ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલાને આશ્વાસન આપવામાં આવેલ તેમજ આવી રીતના ક્યારેય પણ આપઘાત ન કરવા અને ઘરેથી ન નીકળવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી.

- text

ત્યારબાદ તેમના સાસરી પક્ષનુ સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પતિ સાથે વાતચીત કરી અને તેમની કંપનીમાં ગયેલા પરંતુ તેમના પતિ, સાસુ અને સસરા તેમનો સામાન લઈને કંપની માંથી નીકળી ગયા હતા.

ત્યારબાદ મહિલાના માતા પિતાનો કોન્ટેક્ટ નંબર મેળવી અને તેમની સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે હાલ બેનના માતા પિતા બિહાર હોય પરંતુ તેમના કાકા કાકી વાંકાનેર એક કંપનીમાં કામ કરતા હોય તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી અને વાતચીત કરી અને આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કંપનીનું સરનામું પુછેલ અને તેમના ઘરે ગયેલા ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાને સલાહ, સુચન અને માગૅદશૅન આપેલ તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી.

આમ મહિલા એ જીવનમાં ક્યારેય પણ આપઘાત નો વિચાર નહિ કરે અને ક્યારેક આવી રીતના ઘરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને મહિલા ના કાકા કાકીને મહિલાનું ધ્યાન રાખવા જણાવેલ. મહિલા તેમના કાકા કાકી સાથે રાજી ખુશીથી રહેવા જણાવેલ.જેને લઈ તેમના પરિવાર જનોએ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

- text