મોરબીની આર્ટિસ્ટના પેઈન્ટિંગ અમદાવાદની બે આર્ટ ગેલેરીમાં મૂકાયા

- text


મોરબી : મોરબીની આર્ટિસ્ટ ક્રિષ્નાબેન અંબરીષભાઈ કાકડિયાના પેઈન્ટિંગને અમદાવાદની બે આર્ટ ગેલેરીમાં સ્થાન મળ્યું હતું. મોરબીના રહેવાસી અને છેલ્લા 10 વર્ષથી પેઈન્ટિંગ ક્ષેત્રે આર્ટિસ્ટ તરીકે કામ કરી રહેલા ક્રિષ્નાબેન કાકડિયાના મણી મંદિર પેલેસનું પ ફુટ X 3ફુટ પેઈન્ટીંગ તારીખ 19 થી 21 જુલાઈ સુધી અમદાવાદની રવિ શંકર રાવલ કલાભવન આર્ટ ગેલેરી અને હઠ્ઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, CEPT આર્ટ ગેલેરીમાં મૂકવામાં આવ્યું હતું. મોરબીને લોકો સિરામીક સિટીની સાથે સાથે તેના અમુલ્ય હેરીટેજ વારસા માટે પણ ઓળખે એ માટે આ પેઇન્ટિંગ રજુ કરાયું હતું અને ત્યાં લોકોનાં આર્કષણનું કેન્દ્ર બન્યું હતું.

- text

- text