લાતી પ્લોટના પ્રશ્ને તંત્રને ઢંઢોળવા આપ કાલે શુક્રવારે ઢોલ નગારા સાથે રેલી કાઢશે

- text


રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ મામલે પાલિકાને આવેદન પત્ર પણ અપાશે

મોરબી : લાતી પ્લોટના પ્રશ્ને તંત્રને ઢંઢોળવા આપ કાલે શુક્રવારે ઢોલ નગારા સાથે રેલી કાઢશે. જેમાં રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ મામલે પાલિકાને આવેદન પત્ર પણ આપવામાં આવશે.

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાના જણાવ્યા મુજબ
મોરબી નગરપાલિકાની હદ માં આવતો અને નગરપાલિકાના કમાઉ દિકરા જેવા લાતી પ્લોટ વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહ્યો છે. જેમાં રોડ રસ્તા અને ગટરની સુવિધા તથા વરસાદી પાણીના નીકાલના પ્રશ્નને વાંચા આપવા માટે તથા લાતી પ્લોટને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન અને નગરપાલિકાને જગાડવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તા.26ના રોજ સવારે 10:30 કલાકે લાતી પ્લોટમાં વિરોધ પ્રદર્શન અને ત્યાંથી ઢોલ નગારા સાથે રેલી કાઢી નગરપાલિકાના અધિકારીઓને આવેદનપત્ર તથા અલ્ટીમેટમ આપવામાં આવશે.

- text

- text