29 સપ્ટેમ્બરે મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં રઘુવંશી યુવક મંડળ- મોરબી દ્વારા લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. જેમાં ધોરણ 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટિફિકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રમુખ જયેશભાઈ કોટેચાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર, 2024 રાખવામાં આવી છે. તેથી જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવા હોય તેઓએ (1) મનોજ ઝેરોક્ષ- કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી.- મો. 9898220476, (2) દરીયાલાલ આલુ ભંડાર– નવાડેલા, રોડ મોરબી.- મો. 9898114348, (3) કેવિન ગેસ એજન્સી- નવા બસસ્ટેશનની સામે,મોરબી–મો. 9879834034 ખાતેથી ફોર્મ મેળવીને જમા કરાવી દેવા જણાવાયું છે. વધુ માહિતી માટે પ્રમુખ જયેશભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન વિરેનભાઈ પૂજારાનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text