મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 28 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


 

મોરબી : મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા તારીખ 28-7-2024 ને રવિવારના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે બપોરે 3 કલાકે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમ બાદ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારંભના અધ્યક્ષ તરીકે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝલા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

- text

- text