મોરબીની જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી તીરંદાજી સ્પર્ધામાં ઝળક્યો

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધર્માયુ પરેશભાઈ મિયાત્રા તાજેતરમાં અમદાવાદ ક્લસ્ટરની આર્ચરી (તીરંદાજી) સ્પર્ધામાં પ્રથમ નંબરે પસંદગી પામ્યો છે. ધર્માયુ મિયાત્રા હવે રિજનલ સ્પર્ધા માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે ભાગ લેવા જશે. આમ ધર્માયુએ મોરબી જિલ્લાનું, જવાહર નવોદય વિદ્યાલયનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ તેને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text