મંત્રી રાઘવજીભાઈના સ્વાસ્થ્ય માટે રાખેલી માનતા પુરી કરતા મોરબીના આગેવાન

- text


મંત્રીને માટેલધામ લઈ જઈ આઈ શ્રી ખોડિયાર માના દર્શન કરાવીને માનતા પૂર્ણ કરાઈ

મોરબી : રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સ્વસ્થ થઈ જાય તે માટે મોરબીના આગેવાને માનતા રાખી હતી. જે માનતા તેઓએ રાઘવજીભાઈ પટેલને માટેલધામે દર્શન કરવા લઈ જઈને પૂર્ણ કરી હતી.

મોરબીમાં ત્રાજપર પાસે શ્રી કૃષ્ણ પેટ્રોલિયમ નામે પેટ્રોલ પંપ ધરાવતા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયાના દીકરા કૃષિતભાઈ અને પુત્રવધૂ ઉર્વશીબેનને ત્યાં પુત્રરત્ન નંદનનો જન્મ થયેલ હોય તેના જન્મોત્સવ નિમિત્તે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હર્ષોલ્લાસ અને ભોજન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

- text

જેમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને મંગળજીભાઈએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના શુભચિંતક હોય તેઓની નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેમણે માનતા રાખી હતી અને તેઓના ઘરે પારિવારિક પ્રસંગમાં આવેલા મંત્રી રાઘવજીભાઈ પટેલની સાથે માટેલ મંદિર ખાતે દર્શન કરવા માટે મંગળજીભાઈ સુવાગીયા સહિતના ગયા હતા અને ત્યાં તેમણે પોતાની માનતા પૂરી કરી હતી. તેવુ તેમના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે.

- text