ટંકારાના હરબટીયાળી ગામે ભરત ગુંથણના કારીગરો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સહકારથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા ભરત ગુંથણના કારીગરોના પુનરુત્થાન માટે ત્રણ દિવસીય EDTP એટલે કે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન EDIIના સ્ટાફ દ્વારા કારીગરો માટે ઈકો- સિસ્ટમ, ઉઘોગસાહસિક સાહસોના પ્રકાર B2B,B2C,B2G, મહત્વકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે માર્કેટીંગના 7P (Product, Price, Place, Promotion, People, Physical Evidence and Process) ની સમજ આપી હતી. ઉઘોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરીયાતો છે તે વિશે ઊંડાણપુર્વક જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે સફળ ઉદ્યોગ સાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનર, કુટીર અને ગ્રામોઘોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશે રીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉદ્યોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા.

આ ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્ર્મમાં હરબટીયાળી ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા. આ તાલીમ દરમિયાન EDII, RSETI, DRDA અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થા- મોરબીમાંથી આવેલા ફેકલ્ટીએ હાજરી આપી કારીગર બહેનોને માહિતગાર કર્યા હતા.

- text

- text