- text
સ્થાનિકોના ઘરોમાં ગંદા પાણીનો ભરાવો, અવારનવાર રજૂઆતો છતાં પાલિકા કાર્યવાહી ન કરતી હોવાની રાવ
મોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર ચોકઅપ થયેલી ગટર ઠીક કરવામાં નગરપાલિકા આળસ કરી રહી હોય સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.
- text
નરેશભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર પંચાસર રોડ ઉપરના ખૂણાથી કપિલા હનુમાન ચોક- વાવડી રોડના ખુણા સુધીની ભૂગર્ભ ગટર ચોક અપ થઈ ગઈ છે. જેના કારણે ગટરના અને વરસાદના પાણીનો નિકાલ થતો ન હોય ત્યાંના રહીશોમાં ઘરમાં પાણી ઘૂસે છે. આ મામલે પાલિકામાં અવારનવાર રજૂઆતો કરી છે. કોઈ સરખા જવાબ પણ આપતું નથી. આ મામલે પાલિકા તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠે છે.
- text