‘વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત વાંકાનેર સહિતના રેલવે સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ શરૂ

- text


રાજકોટ : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત રાજકોટ ડિવિઝનના 7 સ્ટેશનો રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, વાંકાનેર અને ખંભાળિયા સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ, સ્ટેશનો પર સ્ટોલ મેળવવા માટે, ઉત્પાદકોએ વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ ધારકો, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલ આદિવાસી કારીગરો/વણકર વગેરે અરજી કરી શકે છે.

- text

નોંધનીય છે કે, આ સ્ટોલ રૂ. 6000ની નજીવી ટોકન રકમ સાથે વધુમાં વધુ ત્રણ મહિના માટે ફાળવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજદારો તેમની અરજી સંબંધિત રેલવે સ્ટેશન પર સ્ટેશન મેનેજરને સબમિટ કરી શકે છે. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સ્થાનિક લોકો/સંસ્થાઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે.

- text