હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો ખોલાયો : હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

- text


હળવદ : ઉપરવાસમાં સારા વરસાદને કારણે હળવદ પંથકનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેથી એક દરવાજો ખોલવામાં આવ્યો હોય ડેમના હેઠવાસમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ડેમના અધિકારીઓ દ્વારા જાહેર કરાયા મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ તેના રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયેલ છે. ડેમમાં 300 ક્યુસેકની આવક થઈ રહી છે. જેથી એક દરવાજો અડધો ફૂટ ખોલીને 300 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. જેને પગલે સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ સહિતના ગામોને સતર્ક રહેવા અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સૂચના જાહેર કરવામાં આવી છે.

- text

- text