મોરબીના ત્રિલોચનાય ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદોને અન્નદાન કરાયું

- text


મોરબી : મોરબીના ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને પોતાનો પરિવાર સમજીને અન્નદાન કરવામાં આવ્યું હતું.

ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશનની ટીમ દ્વારા મોરબીના નવલખી રોડ પર જરૂરિયાતમંદ નાના બાળકો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વેજ બિરયાની તેમજ અન્ય ભોજનનું વિતરણ કરીને જઠરાગ્નિ ઠારવાનું પુણ્ય શાળી કામ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ ધામેચા, મિતેશભાઈ ભટ્ટ, રોનકભાઈ ચૌહાણ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text