મોરબીના નીચીમાંડલ ગામે મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં વનીકરણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ‘વૃક્ષ છે તો જીવન છે’ આ વાક્યને સાર્થક કરતા આજે તારીખ 13-9-2024 ને શનિવારના રોજ મોરબી તાલુકાના નીચીમાંડલ ગામે પૂર્વ સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાના વરદ હસ્તે વનીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગામની પાદરે તળાવની બાજુમાં વડ, પીપળા, લીમડો, સરગવો વગેરે જેવા 500થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રદ્યુમનભાઈ કુંડારીયા,ઉપસરપંચ, શાંતિલાલ કુંડારીયા માધ્યમિક શાળાના આચાર્ય રજનીકાંતભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ ચાડમિયા, નીચીમાંડલ ગ્રામ પંચાયત સમિતિના ચેરમેન રવજીભાઈ સોલંકી તથા તમામ સભ્યો, સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ, સસ્તા અનાજના દુકાનદાર હરેશભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text