- text
દોઢ વર્ષ પહેલા પાલિકાને રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં રહીશોમાં આક્રોશ
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે આવેલી તપોવન રેસિડેન્સીના ગેટ પાસે જાહેરમાં ગંદકી કાઢવામાં આવતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ આ સમસ્યા હાલ કરવાની માંગણી કરાઈ છે.
તપોવન રેસિડેન્સીના રહીશોના જણાવ્યા પ્રમાણે, તપોવન રેસિડેન્સીના ગેટ પાસે આવેલા તબેલામાં થતી ગંદકીનો નિકાલ જાહેર રોડ પર કરવામાં આવી રહ્યો હોવાના કારણે રેસિડેન્સીના ગેટ પાસે જ ગંદકી થઈ રહી છે અને દુર્ગંધ પણ આવી રહી છે. આ અંગે સ્થાનિકોએ અગાઉ નગરપાલિકામાં અરજી પણ કરી હતી તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ બાબતે રેહવાસીઓ વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યા હલ નહીં થાય તો કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
- text
- text