રવાપર રોડ ઉપર ગટર ઉભરાવવાના પ્રશ્ને કોંગ્રેસ મેદાને : કાલે રવિવારે લોકોની સમસ્યા સાંભળશે

- text


મોરબી : મોરબીમાં રવાપર રોડ પર અનેક સોસાયટીના વિસ્તારોમાં ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને કાલે રવિવારે કોંગ્રેસના આગેવાનો આલાફ સોસાયટી વાળા રોડ ઉપર રૂબરૂ સ્થાનિકોના પ્રશ્નો સાંભળશે.

મોરબી શહેર કોંગ્રેસ પુષ્પરાજસિંહ જાડેજા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા જણાવાયુ છે કે કાલે રવિવારે સવારે 10 વાગ્યે મોરબી જિલ્લા તથા તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા રવાપર રોડ સોસાયટી વાળો રોડ, પટેલ નગર, ખોડીયાર નગર વિસ્તારમાં ગટરો ઉભરાઈને ગટરના પાણી રોડ ઉપર અને ઘર આંગણે ભરાઈ ગયેલ છે. જેની રજૂઆત કરવા કોંગ્રેસ આ વિસ્તારમાં રૂબરૂ જઈને પ્રજાને પડતી મુશ્કેલીઓની રજૂઆતો સાંભળશે. ઉપરાંત પ્રજાની સાથે રહીને ગટરના પાણીની ગંદકી દુર થાય તે માટે ઉગ્ર આંદોલન કરશે અને મોરબી નગરપાલિકાને આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરશે.

- text

- text