સ્ટેટ જીએસટીમાં બદલી, મોરબીના બે વેરા નિરીક્ષકો ગાંધીધામ મુકાયા 

- text


મુખ્ય રાજ્ય વેરા કમિશનર દ્વારા 171 વેરા નિરીક્ષકોની બદલીનો ઘાણવો કઢાયો : ગાંધીધામના બે અધિકારી મોરબી મુકાયા 

મોરબી : મુખ્ય રાજ્ય વેરા કમિશનર દ્વારા શુક્રવારે સાંજે સ્ટેટ જીએસટીમાં બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે આ બદલી હુકમ અન્વયે મોરબીના બે સહીત 171 વેરા નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે, મોરબીથી બદલી કરાયેલા બન્ને અધિકારીઓને ગાંધીધામ મુકવામાં આવ્યા છે અને ગાંધીધામથી બે અધિકારીને મોરબી મુકવામાં આવ્યા છે.

- text

મુખ્ય રાજ્ય વેરા કમિશનર સમીર વકીલ દ્વારા શુક્રવારે બદલી હુકમ કરવામાં આવ્યા છે જેમાં સ્ટેટ જીએસટી વિભાગના કુલ 171 વેરા નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે. આ બદલી હુકમ અન્વયે મોરબી ખાતે ફર્ક બજાવતા જયદીપભાઈ હીરાભાઈ લોખીલ અને રમેશચંદ્ર મોહનલાલ ઝાલરિયાને ગાંધીધામ ખાતે મુકવામાં આવ્યા છે. સાથે જ ગાંધીધામ ખાતે ફરજ બજાવતા શિલ્પાબેન શિવજીભાઈ બરડીયા અને પ્રતીક કુમાર ચૌધરીને મોરબી ખાતે મુકવામા આવ્યા છે.

- text