મોરબીના જુના ઘુંટુ રોડથી લખધીરપુર જતી કેનાલમાં પડી જતાં આધેડનું મોત

- text


મોરબી : આજ રોજ સવારે 10 વાગ્યાની આસપાસ મોરબીના જુના ઘુંટુ રોડથી લખધીરપુર રોડ જતી કેનાલમાં ડૂબી જતાં આધેડનું મોત થયું છે. ફાયરની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- text

મળતી માહિતી પ્રમાણે કેનાલમાં 56 વર્ષના કોળી મનસુખભાઈ માનસંગભાઈ પડી ગયા હતા. જેનો કોલ મળતા મોરબી ફાયરની ટીમ ઘુંટુ કેનાલ પાસે પહોંચી હતી. જ્યાં શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ મૃતક કેનાલમાં કેવી રીતે પડી ગયા તે અંગેની જાણકારી મળી નથી.

- text