માળીયાના સરવડ ગામના યુવાને 10 લાખના 80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી

- text


ખાનપર અને શક્ત શનાળાના ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા પટેલ વેપારીએ ત્રણ વ્યાજખોરો પાસેથી 10 ટકા વ્યાજે 5 – 5 લાખ મેળવ્યા બાદ 80 લાખ પરત ચૂકવી દેવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરીના આ બનાવના માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરિયા ઉ.23 નામના યુવાને આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા રહે. બન્ને શનાળા અને પ્રવીણ રબારી રહે.ખાનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છ મહિના પૂર્વે આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા પાસેથી 5 – 5 લાખ 10 ટકા વ્યાજે લીધા બાદ 80 લાખ ચૂકવવા છતાં ત્રણેય આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી વોટ્સએપ કોલમાં ગાળો આપી વધુ પાંચ લાખ માંગી રહ્યા છે. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text