મોરબીના શિક્ષણવિદ પી.ડી. કાંજીયાનું ઉપલેટાની આર.પી. ભાલોડિયા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

- text


વ્યાખ્યાનમાં UPSC, GPSC, એરહોસ્ટેસ, IAS/IPS સુધીની સફર વિશે સચોટ માર્ગદર્શન આપ્યું

મોરબી : પટેલ સમાજની નામાંકિત સંસ્થા આર. પી. ભાલોડીયા કોલેજ ઉપલેટાના પ્રવેશોત્સવ નિમિત્તે મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી.કાંજીયાનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં યુવાઓના રોલ મોડલ પ્રેરણા સ્ત્રોત અને શૂન્યમાંથી સર્જન કરી અત્યાર સુધીમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓને સંતોષકારક શિક્ષણ આપી ચૂકેલા મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી. ડી. કાંજીયાએ આગવી શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. તેઓ હાલ 6500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. મોરબીમાં અલગ અલગ જગ્યાએ પ્રવચન આપી માર્ગદર્શન આપતા હોઈ છે. ત્યારે આજ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

પોતાના વ્યાખ્યાનમાં પી.ડી.કાંજીયાએ યુપીએસસી, જીપીએસસી એરહોસ્ટેસ, ફેશન ડિઝાઇનરથી માંડી IAS/IPS સુધીની સફર કેવી હોય તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કરિયર લક્ષી માર્ગદર્શનની સાથે જીવનલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું. જેમાં સીતાજી અને દ્રોપદીના યુગથી માંડી આજના આધુનિક યુગમાં સુનિતા વિલીઅમ્સ સુધીની વાતો વણીને રસપ્રદ માહિતી આપી હતી. અને આવનાર સમયમાં યુવાઓની સમસ્યા કેવી હશે અને તેમનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપ્યું હતું.

- text

આ ઉપરાંત દીકરીઓને વર્તમાન સમયમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને જે દીકરીઓ અપરિપક્વતામાં જે પગલું ભરે છે અને જિંદગીભર પસ્તાય છે ત્યારે અત્યારે સમાજમાં દીકરીઓને ફસાવતા લેભાગુ તત્વો સામે લાલબત્તી ધરી હતી. અને પોતાની માતા પિતાની આબરૂ સાચવવાની ટકોર કરી હતી. તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કાલાવડીયા સાહેબના તેઓ વિદ્યાર્થી હતા તે સમયની ડુમિયાણી બીઆરએસ કોલેજ સાથેની જૂની યાદો તાજી કરી હતી તથા ઉપસ્થિત તમામ દીકરીઓને ભવિષ્યમાં ખુબ સફળતા મેળવો તેવી શુભકામના પાઠવી હતી. પોતાનો અમૂલ્ય સમય ફાળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ દલસાણિયા, પ્રિન્સિપાલ ડો. મહેન્દ્રભાઈ કલાવાડિયા, તમામ પ્રોફેસર અને કોલેજમાં પ્રવેશ લેનાર દીકરીઓએ પી. ડી. કાંજીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text