સ્વ. લલિતભાઈ મહેતાના સ્મરણાર્થે વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિદ્યાભારતીમાં સ્મૃતિબાગ ખુલ્લો મૂકાયો

- text


વાંકાનેર : સ્વ. લલિતભાઈ મહેતાના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થતાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિદ્યાભારતી વાંકાનેરના આચાર્ય બહેનો અને 226 વિદ્યાર્થિની બહેનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ દરમ્યાન તેમના સ્મરણાર્થે તા. 8-7-2023ના રોજ કુદરતી ખાતર તેમજ વિવિધ ઔષધીય વનસ્પતિ અને શાકભાજીના રોપાઓ વાવી વિદ્યાર્થીઓ એક નાનકડો સ્મૃતિ બાગ સંકુલના બધા વિદ્યાર્થીઓ, અભિભાવકો, પક્ષીઓ માટે ખુલ્લો મૂક્યો છે.

પ્રકૃતિના જતન માટે બધા જાગૃત થાય તે માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં બધા જ વિદ્યાર્થીની બહેનો સહભાગી થયા છે. સૂર્ય નહીં તો કોડિયું બની નાના બાળકો અને સમાજના પ્રત્યેક લોકોમાં પ્રકૃતિની જાળવણી માટે 87 છાયા આપનાર વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી માટી, માટીના કુંડા, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવેલ કુંડા તેમજ ચકલીના માળા જાતે બનાવી લાવ્યા હતા.

પ્રકૃતિના જતન માટેનો આ નાનકડો પ્રયાસ શાળાના પ્રધાન આચાર્ય, આચાર્યો તેમજ વિધાર્થીઓના સહયોગ દ્વારા ટ્રસ્ટીની પ્રેરણાથી કરવામાં આવ્યો છે. આ સ્મરણાંજલિમાં ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને શિક્ષણ અને સમાજ માટે સ્વ. લલિતભાઈ મહેતાના યોગદાનને ચીર સ્મરણીય બનાવવા તેમણે જે શિક્ષણક્ષેત્રે આપ્યું છે તે સંસ્કાર અને શાશ્વત જીવન મૂલ્યોનું હંમેશા સંવર્ધન કરવા સમજાવ્યું હતું. તેમજ કે. કે. શાહ અને એલ. કે. સંધવી શાળાના નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નોટબુક પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી.

- text

- text