મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ, નેજા ઉત્સવ, સંતવાણી સહિતના કાર્યક્રમ યોજાયા

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન દિવસે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી તેમજ પાટનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 જુલાઈ ને રવિવારે અષાઢી બીજ નિમિત્તે રામધન આશ્રમમાં સવારે નેજા ઉત્સવ યોજાયો હતો. સાથે જ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોએ લાભ લઈ યજ્ઞમાં આહૂતિ આપી હતી. ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજ નિમિત્તે સંતવાણી તેમજ પાટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ભક્તોએ ભજન અને ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ, કેશીભાઈ, દેવકરણભાઈ, દેવેન્દ્રભાઈ, ત્રિભોવનભાઈ તેમજ સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું હતું.

- text

- text