મોરબીમાં 13 અને 14મીએ કેન્સર નિદાન કેમ્પ : મુંબઈના તબીબ આપશે સેવા

- text


મોરબી : મોરબીમાં વિશાશ્રીમાળી વણીક જ્ઞાતિ સંચાલિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા 3 નવા ડેલા રોડ, મોરબી ખાતે સ્વ.દર્શનાબેન ડાયાભાઈ માકાસણા દ્વારા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પ તા.13ને શનિવારે સાંજે 4થી 7 તેમજ તા.14ને રવિવારે સવારે 9થી 12 દરમિયાન યોજાશે. કેમ્પમાં મુંબઈના નિષ્ણાંત કેન્સરના સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી સેવા આપવાના છે. વિનામૂલ્યે આયોજિત કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓને પોતાનું નામ મયુરભાઈ મહેતા મો.નં. 9537099219 ઉપર નોંધાવવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયુ છે.

- text