મોરબીનો પરિવાર માતાજીના માંડવા ગયો અને તસ્કરો કળા કરી ગયા

- text


ઇન્દિરાનગર નજીક ખોડિયાર સોસાયટીમાં મોબાઈલના ધંધાર્થીના ઘેર 1.21 લાખની ચોરી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગર ખોડિયાર સોસાયટીમાં રહેતો પરિવાર ખાખરેચી ગામે માતાજીના માંડવામાં ગયા બાદ એક દિવસ બંધ રહેલ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.21 લાખની માલમતાની ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા અને લીલાપર ચોકડી નજીક મોબાઇલની દુકાન ધરાવતા સુખદેવભાઈ કરશનભાઇ સુરેલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28જુનના રોજ તેઓનો પરિવાર ખાખરેચી ગામે માતાજીના માંડવામાં જતા પાછળથી બંધ પડેલા મકાનના નકુચા તોડી ઘરમાં રહેલ સોના, ચાંદીના દાગીના તેમજ 20 હજારની રોકડ સહિત 1.21 લાખ રૂપિયાની ચોરી કરી જતા ઘરફોડીના બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text