મોરબીના ભરતનગરમાં ચોર સમજી અજાણ્યા યુવાનની હત્યા કરનાર બે આરોપીની ધરપકડ

- text


રાત્રીના સોમનાથ હોટલ પાસે ટ્રક નીચે છુપાઈ શંકાસ્પદ હિલચાલ કર્યા બાદ ભરતનગરમાં પણ આંટાફેરા કરતા લોકોએ માર મારતા મોત નીપજ્યું હતું

મોરબી : મોરબીના ભરતનગર નજીક ગત તા.30 જુનના રોજ રાત્રીના સમયે ગામમાં ભેદી હિલચાલ સાથે આંટાફેરા કરતા શખ્સને લોકોએ ચોર સમજી બેફામ માર મારતા મૃત્યુ નિપજ્યા બાદ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી આ અજાણ્યા યુવાનને વધુ માર મારી મોતને ઘાટ ઉતારનાર ભરતનગર ગામના બે આરોપી યુવાનને અટકાયતમાં લીધા હતા.

- text

મોરબીના ભરતનગર ગામે અજાણ્યા યુવાનની ચોર સમજી હત્યા કરવાનાં બનાવ મામલે પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા બાદ આ કેસમાં આરોપી ગુંજારીયા વેલારીયા જુગડા અને આનંદ મીઠાભાઈ પટેલ રહે.બન્ને ભરતનગર વાળાને પોલીસે અટકાયતમાં લીધા હોવાનું ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે, ગત તા.30 જુનના રોજ મરણજનાર અજાણ્યો ઇસમ સોમનાથ હોટલ નજીક ટ્રક નીચે છુપાઈ શંકાસ્પદ હિલચાલ કર્યા બાદ ભરતનગરમાં પણ ભેદી આંટાફેરા કરતા એકત્રિત થયેલા ગ્રામજનોએ માર મારતા મૃત્યુ નીપજ્યું હતું અને ઉપરોક્ત બન્ને આરોપીઓએ ઉશ્કેરાઈ વધુ માર મારતા બનાવ બન્યો હોવાનું સામે આવતા હાલમાં બન્ને આરોપીઓને પોલીસે હિરાસતમાં લીધા છે.

- text