લજાઈના હનુમાનજી મંદિરે કાલે શનિવારથી 24 કલાકની રામધુન

- text


ટંકારા : લજાઈ ગામે મસોત શેરી ખાતે આવેલા હનુમાનજી મંદિરે આગામી અષાઢી બીજ નિમિત્તે 24 કલાકની રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 6 જુલાઈ ને શનિવારે હનુમાનજીના મંદિરે રાત્રે 8 કલાકે રામધુનની શરૂઆત થશે. બીજા દિવસે એટલે કે 7 જુલાઈ ને રવિવારે અષાઢી બીજના દિવસે સાંજે 7 કલાકે મહાઆરતી કરવામાં આવશે. તો આ રામધુનમાં સર્વે ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા બજરંગ મંડળ-લજાઈ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text